Pages

Recommended Jobs

Search This Website

Wednesday, October 12, 2022

આ રોજીંદા જીવનની પાંચ વસ્તુઓ પણ તમારા લીવરને ખરાબ કરી નાખે છે

આ રોજીંદા જીવનની પાંચ વસ્તુઓ પણ તમારા લીવરને ખરાબ કરી નાખે છે.

આપણને અમુક વસ્તુની તો ખબર જ નથી હોતું કે આપણા શરીર માટે નુકશાન કરે છે ફક્ત એ જ  ખબર હોય છે કે જે નુકશાન કરે છે જેવી કે દારૂ, સિગારેટ, તંબાકુ, વધુ પડતું ધૂમ્રપાન વગેરે.

આ સિવાય પણ અમુક ખાદ્ય એવી ચીજ વસ્તુઓ છે કે જે આપણા લીવરને માઠી અસર પહોચાડે છે તો ચાલો તેના વિશે માહિતી મેળવી લઈએ અને રાખીએ લીવરને સુરક્ષિત. લીવર વિશે વાત કરીએ તો  તે આપણા શરીરમાં કેમિકલની ફેક્ટરી તેરીકે માનીએ તો પણ માની શકાય છે. કારક કે આપણા શરીરમાં રહેલા લોહીમાંના કેમિકલને જાળવી રાખવા માટે તે 24 કલાક સતત કામ કરે છે.


લીવર એ શરીરમાંથી અમુક વિષાક્ત પદાર્થો એટલે કે ઝેરી પદાર્થોને બહાર નીકળવા માટે ખુબજ ઉપયોગી થાય છે. લીવરને શરીરનું સૌથી અગત્યનું અંગ કહીએ તો પણ કહી શકાય છે. અત્યારે મોટાભાગના લોકોને પોતાની બેદરકારીને લીધે લીવરની સમસ્યા ઉભી થતી હોય છે. આ ઉપરાંત અમુક ખરાબ ખાણી પીણીને આદતોને લીધે પણ લીવરની સમસ્યા થતી હોય છે. તેમનું લીવર ધીમે ધીમે ખરાબ થતું જાય છે.

હેલ્થના નિષ્ણાંત લોકોનું લીવર વિશે એવું માનવું છે કે જો તમારે તમારું લીવર એકદમ સ્વસ્થ અને નીરોગી રાખવું હોય તો તમારે એ જાણવું જરૂરી છે કે તમારા લીવરને કયો ખોરાક યોગ્ય છે તથા કઈ કઈ ચીજ વસ્તુઓનું સેવન કરવાથી તમારા લીવર ને નુકશાન થઇ શકે છે. તો ચાલો આપણે જાણીં લઈએ કે લીવર માટે કઈ કઈ વસ્તુનું સેવન કરવું નહિ.

ખાંડ : વધુ પડતી ખાંડ એ તમારા દાંતને જ નહિ પરંતુ તમારા લીવરને પણ નુકશાન કરે છે. લીવર ચરબી બનાવવા માટે ફ્રુકટોઝ નામની એક પ્રકારની ખાંડ નો જ ઉપયોગ કરે છે. તથા તે શરીરની ચરબી પણ વધારી દે છે. ખાંડ વિશે અમુક એવા અભ્યાસમાં પણ જાણવા મળ્યું હતું કે તે જેટલું આલ્કોહોલનું સેવન કરવાથી નુકશાન થાય છે તેટલું જ નુકશાન ખાંડનું સેવન કરવાથી પણ થાય છે.

મેંદાનો લોટ : મેંદાનો લોટ એ શરીર માટે ખુબજ નુકશાન કરે છે અને એમાં પણ લીવરની વાત કરીએ તો ભયંકર માં ભયંકર નુકશાન પહોચાડે છે, મેંદાના લોટમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાયબર ખુબ ઓછી માત્રામાં મળે છે. જો તમે પાસ્તા, પિઝા, બ્રેડ, બિસ્કીટ જેવી વસ્તુનું સેવન કરતા હોવ તો તે સાવ બંધ કરી દેજો લીવર સ્વસ્થ અને લાંબા સમય માટે કાર્યશીલ રાખવું હોય તો.

પેઈનકીલર્સ : ઘણીવખત લોકો પોતાને માથાનો દુખાવો થતો હોય આ ઉપરાંત શરીરનો કોઈપણ પ્રકારનો દુખાવો થતો હોય તો તેને દુર કરવા માટે પેઈનકીલર્સનો ઉપયોગ કરતા હોય છે, આ પેઈનકીલર્સનું વધુ પડતું સેવન કરવાથી પણ લીવર ઉપર તેની માઠી અસર પડે છે અને તે લીવરને નુકશાન પહોચાડે છે.

વિટામીન  A નું વધુ પ્રમાણમાં સેવન કરવાથી : તમને ખબર છે કે શરીરને ઘણાબધા વિટામીનની જરૂર છે એમાંથી વિટામીન A ની ઉણપ તાજાફળો અને શાકભાજી દ્વારા પૂરી થતી હોય છે, વિટામીન A લાલ નારંગી અને પીળા રંગના ફળો અને શાકભાજી માંથી મળે છે. અમુક લોકો વિટામીન Aની સપ્લીમેન્ટ લે છે તેનું વધુ પડતું સેવન કરવાથી તે આપણા લીવર માટે ખુબજ હાની પહોચાડે છે. જો તમારે વિટામીન A ની ઉણપને દુર કરવા માટે તમે વિટામીન A સપ્લીમેન્ટ લેવા માંગતા હોવ તો તમારે એક વખત તમારા ફેમીલી ડોક્ટરનો સંપર્ક કરી લેવો યોગ્ય છે.

આમ, આપણે લીવરને તંદુરસ્ત અને વધુ પડતું કાર્યશીલ રાખવા માટે આટલી વસ્તુની સાવચેતી રાખવી જરૂરી છે.

No comments:

Post a Comment

Recommended Jobs